![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/પાલનપુર-એન્જિનિયરિંગ-hed.jpg)
પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે 4 જુનના સવારે મતગણત્રી ચાલુ થશે: બાર વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થશે
10 કાઉન્ટિંગ હોલ જેમાં સાત વિધાનસભા અને ત્રણ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે
14 ટેબલ ઉપર 23 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે: બનાસકાંઠા લોકસભા બેઠકનું ચૂંટણીની મતગણત્રી આગામી 4 જુનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર છે. જેની વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી યોજાયા બાદ તેની મતગણતરી 4 જુન 2024 ના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 4 જૂનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર મતગણતરીમાં કુલ 10 કાઉન્ટિંગ હોલમાં સાત વિધાન સભા તેમજ ત્રણ પોસ્ટલ બેલેટ માટે મતગણતરી ની વ્યવસ્થા કરાઈ છે. તેમજ દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ પર 23 રાઉન્ડ માં મતગણતરી પૂર્ણ કરવા કરવામાં આવશે.
મતગણતરી સવારે આઠ વાગ્યાથી ચાલુ કરી 12:00 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે તેમજ કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તેમજ ઉનાળાને ધ્યાને રાખી ઓઆરએસ ના પેકેટ તેમજ પાણીની રૂમમાં એસી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.