કેન્દ્ર સરકાર એરંડાના ટેકાના ભાવ નક્કી કરે તેવી સાંસદની માંગણી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : સમગ્ર દેશમાં ખેડુતોને વડાપ્રધાન દ્વારા મોટાભાગની જણસીઓની ટેકાના ભાવ ખરીદી પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે નક્કી કરવામાં આવેલી છે. ગુજરાતમાં દિવેલાનું ખુબ મોટાપ્રમાણમાં વાવેતર થવા છતાં પણ પુરતા ભાવો મળતા નથી આથી ઉત્તરગુજરાતના ખેડુતોની માંગણી ઉઠવા પામી છે. આથી સમગ્ર ખેડુતો વતી બનાસકાંઠાના સાંસદે જીલ્લાના ખેડુતોના એરંડા (દિવેલા)ના પાકની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે તેવી કેન્દ્રના કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગના મંત્રીને પત્ર લખીને માંગણી કરી હતી. તથા કેંન્દ્રીયમંત્રી પુરુસોત્તમ રૂપાલા અને ગુજરાતના કૃષીમંત્રી આર.સી. ફળદુનું ધ્યાન દોરી તેમની સમક્ષ પણ ખેડુતોની લાગણી વ્યક્ત
કરી હતી.
બનાસકાંઠના સાંસદ પરબતભાઇ પટેલે કેંન્દ્રના કૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એરંડા માટે લઘુત્તમ સપોર્ટ ભાવ નક્કી કરવા પત્ર લખીને રજુઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે પોતાનો મત વિસ્તાર બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં આવે છે. આ સ્થાનના મોટાભાગના લોકો ખેડુત છે. અને તેઓ નિર્વાહ કૃષિ અને પશુપાલન દ્વારા જીવે છે. અહીંના મોટાભાગના ખેડુતોની પાસે નાના ભાગોમાં જમીનના ટુકડાઓ છે. જેનો અર્થ છે કે ઉત્તર ગુજરાતના ખેડુતો નાના ખેડુતોમાં ગણાય છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ભારત એરંડા (દિવેલા) નો સૌથી વધુ ઉગાડવામાં અને ઉત્પાદિત દેશ છે. તેમાં પણ, મહત્તમ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં છે. જે દેશના ઉત્પાદનમાં આશરે ૬૦% છે. પરંતુ એરંડા સાથે ભાવ ન મળવાના કારણે ખેડુતોની આવક ઓછી થઈ રહી છે. આ સ્થિતિમાં ખેડુતોને ઘણી સમસ્યાઓ છે. અને આર્થિક રીતે તેની હાલત ખુબ જ ખરાબ છે. તેથી એરંડા (દિવેલા) ઉપજનો લઘુતમ ટેકાના ભાવને નિર્ધારિત કરવું જરૂરી છે. આથી જલ્દીથી ખેડુતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ અને ન્યુનત્તમ ટેકાના ભાવ સાથે એરંડા (દિવેલા) પેદાશોની ખરીદી શરૂ કરવા જરૂરી પગલાં લેવા જોઈએ તેવી ખેડુતો અને પોતાની નમ્ર વિનંતી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.