બનાસકાંઠામાં કોરોનાનો કહેર જારી : વધુ ૫૧ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં બુધવારે કોરોના ૫૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૭૪૬ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫૬ પહોંચ્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન ચિંતાજનક હદે વધી રહ્યું છે.જ્યાં બુધવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જ્યાં ૫૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૭૪૬ પહોંચી ગઈ છે.
આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ પાલનપુરમાં ૧૭, વડગામ ૪, દાંતા ૩, ડીસા ૧૦, લાખણી ૧, દાંતીવાડા ૪, દિયોદર ૧, થરાદ ૩, વાવ ૪, સૂઇગામ ૨ અને ભાભરમાં ૧ કેસ નોંધાયો હતો. જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં ઉછાળો નોંધાયો છે. જેના પગલે વહિવટી તંત્ર પણ સર્તક બન્યું છે. અગાઉ કયા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા તેની માહિતી અપાતી ન હતી. પરંતુ હવે માહિતી અપાતી હોવાથી લોકો પણ સાવચેતી દાખવી રહ્યા છે. જોકે, પાલનપુર સહિતના શહેરી વિસ્તારોમાં હજુ પણ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનો કડક અમલ કરાવવામાં આવે તેવી તાતી જરૂર જણાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.