અંબાજી ખાતે વનસેતુ ચેતના યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામ થી અંબાજી સુધીની વનસેતુ ચેતના યાત્રાનો સમાપન કાર્યક્રમ આગામી 22 મી જાન્યુઆરીના અંબાજી ખાતે યોજાનાર હોઈ આ યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પાલનપુર ખાતે અધિકારીગણ સાથે એક મિટિંગ મળી હતી.

જેમાં કલેકટર વરુણકુમાર બરનવાલ દ્વારા કાર્યક્રમ સંબંધિત આયોજન અને સંકલન અંગે ચર્ચા અને જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ભોજન વ્યવસ્થા, મંડપ વ્યવસ્થા, ઇલેક્ટ્રિક સંસાધન, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે મોબાઈલ ટોઇલેટની સુવિધા જેવી વ્યવસ્થાઓ અને આયોજન બાબતે યોગ્ય તકેદારી રાખી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા કલેકટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વનસેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. ઉમરગામ થી અંબાજી સુધીની એક હજાર કિલોમીટરની યાત્રા નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે અને અંબાજી ખાતે 22 મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.