77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અંબાજીના ગબ્બર પર્વત પર આવેલા મંદિરનું તિરંગાથી સજાવટ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માતાજીના ધામે અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના મંદિરને તિરંગાથી શણગાર કરવામાં આવ્યો હતો.આજે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધૂમધામથી 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજી પણ દેશભક્તિના રંગે રંગાયા જોવા મળ્યા હતા. આજે 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ગબ્બર પર્વત પર આવેલા માતાજીના મંદિરને તિરંગાથી શણગાર કરવામાં આવ્યું હતું. તો મંદિર પરિસર અને મંદિર અને માતાજીને તિરંગાથી સજાવટ કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. ગબ્બર પર્વત પર આવતા માઈભક્તો પણ માતાજીના મંદિરની તિરંગાથી સજાવટ જોઈ આનંદિત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.