થરાદમાં આવતાં ડુવા પાવડાસણનો રોડ ધોવાઈ ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પંથકમાં ઉપરાંત ધાનેરા વિસ્તારમાં ખાબકેલા વરસાદના કારણે ધાનેરાને અડીને આવેલા થરાદના પાવડાસણમાં રેલ નદીના પટમાં પાણીનો વ્હોળો આવ્યો હતો.જેના કારણે ડુવાનો રસ્તો તુટતાં દસેક ગામોના વાહનવ્યવહારને અસર થઇ હતી. તંત્ર દ્વારા રોડના રીપેર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

થરાદ અને ધાનેરા પંથકમાં ખાબકેલા વરસાદના કારણે આશીયાનો વ્હોળો પાવડાસણમાં આવ્યો હતો. જેના કારણે રવિવારની મધરાતે પાણી આવતાં પાકનું ધોવાણ થઈ ગયું હતું. જ્યારે રોડનું ધોવાણ થતાં ડુવા, પાવડાસણ કિયાલ, ડેડુડી, મોરથલ, ડુવા,થરા,ડેડુવા, જડીયાળીથી ધાનેરા હાઇવે બાજુ જવા માંગતાં અને બાજુના મળીને 10 જેટલાં ગામોના લોકોની અવર-જવર બંધ થઇ જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.