પાલનપુર ખાતે કલેક્ટર વરુણકુમાર બરનવાલના હસ્તે પ્રાકૃતિક મોલનું ઉદ્ધઘાટન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા અને પાલનપુરના ખેડૂતોના સંયુક્ત પ્રયાસથી ડીપી બનાસકાંઠા એસ પી એન એફ પોડયુસર કંપની લિમિટેડ દ્વારા પ્રાકૃતિક મોલનું પાલનપુર ખાતે આજરોજ જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં કલેક્ટર સાહેબ શ્રી દ્રારા પ્રાકૃતિક કૃષિ કરવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું અને વધુ માં વધુ લોકો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય અને સારુ પ્રાકૃતિક ખાય એ માટે પ્રેરણા આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, એસ પી એન એફ સંયોજક પ્રફુલભાઈ સેજલીયા , સહ સંયોજક દીક્ષિતભાઈ પટેલ,
જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ , પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા -વ – નાયબ ખેતી નિયામક એચ જે જિંદાલ ,નાયબ ખેતી નિયામક મયુરભાઈ પટેલ ,નાયબ બાગાયત નિયામક અનન્યા બેન સહિત બહોળી સંખ્યામાં પાલનપુર અને ડીસાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી ભીખાભાઇ ભુટકા અને એમની ટીમે કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.