![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/02-6.jpg)
અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ : ખેડૂતો ફરી ચિંતિત
કમોસમી વરસાદના લીધે અનેકવાર ખેડૂતોને પોતાના પાકને લઈને મોટું નુકસાન સર્જાયું છે. ત્યારે ફરી એકવાર આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના લીધે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. તેમના શિયાળા પાકને નુકસાન સર્જાવાની ભીતિ સર્જાઈ રહી છે. કમોસમી વરસાદી માહોલને જોઈ ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઇ છે.
આજે અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આકાશમાં કાલા ડિબાગ વાદળ છવાતા કમોસમી વરસાદની શક્યતા સર્જાઈ રહી છે. જેના લીધે અંબાજી અને આજુબાજુના ખેડૂતોના માટે ચિંતાની લકીરો ખેંચાય છે. હાલમાં શિયાળા પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતાઓને લઈને ખેડૂતોને ફરી એકવાર નુકસાન બેઠવાનો વારો આવી શકે છે. અંબાજી અને આજુબાજુના પંથકમાં આજે વાતાવરણ પલટાયું છે. ત્યારે આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવાના લીધે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે.