ચક્કાજામ ની ચીમકી : ધાનેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરવા મુદે આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરવા મુદે મીટીંગ યોજ્યા બાદ આવેદનપત્ર અને સાત દિવસ માં ઉકેલ ન આવે તો ચક્કાજામ ની ચીમકી આપાઈ

ધાનેરામાં બનેલ રેલવે પુલ એ ધાનેરા ની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વીશ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધા ને મોટો ફટકો પડ્યો છે સર્વીશ રોડ ના કારણે હોસ્પિટલ પહોંચવા માં દર્દીઓ ને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અનેક વાર એમ્બ્યુલન્સ ફસાયા ના દાખલા મોજુદ છે સ્થાનિકો એ સર્વિસ રોડ મુદે અનેક વાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરી હતી.

પણ પરિણામ ન મળતા આખર વેપારીઓ ડોકટરો અને જાગૃત નાગરિકો ની મીટીંગ મળી ત્યાર બાદ રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી સાત દિવસ માં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવા માં આવી હતી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસો માં સર્વિસ રોડ મુદે મોટુ આંદોલન મોટુ સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.