બનાસકાંઠાના ચીફ મેડિકલ ઓફિસર એ અંબાજી ની હોસ્પિટલમાં સરપ્રાઇસ ચેકિંગ હોસ્પિટલના અગ્નિશામક સાધનો તપાસ્યા
રાજકોટમાં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલા મહત્વના જાહેર સ્થળો સહિત ખાનગી કોમ્પલેક્ષોમાં પણ એનઓસીની તપાસ ચાલી રહી છે. ત્યારે હાલ માં રાજકોટ ખાતે બનવા પામેલ ગોઝારી ઘટનાને ધ્યાને રાખી એસટી નિગમ અગાઉથી જ ફાયર સેફ્ટીના સાધનો સાથે સજ્જ હોવા છતા પણ ફાયર સેફ્ટી ના સાધનો ની ચકાસણી અને પૂર્તતાના સકારાત્મક અભિગમ ને પગલે આજે અંબાજી ની આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગે મોકડીલ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાના ચીફ મેડિકલ ઓફિસર ડો. દીપક પ્રણામી એ આજે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલની સરપ્રાઇસ ચેકિંગ હાથ ધરી હતી. અંબાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની કરી મુલાકાત લઈ જરુરી તાકીદ હાથ ધરી હતી. રાજકોટમાં બંનેની અગ્નિ કાંડ ની ઘટનાના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંબાજી ની જનરલ હોસ્પિટલની ની તપાસ હાથ ધરી સમગ્ર સ્ટાફ ને જરૂરી માહિતી આપી હતી. તો સાથે સાથે હોસ્પિટલના અગ્નિશામક સાધનો ને તપાસ્યા હતા. જેમાં ફાયર સેફટી ની NOC તપાસી 2025 સુધીની નિયમિત કરેલી જોવા મળી. હોસ્પિટલ મા આગ લાગે ત્યારે પાણી નો મારો કરવા પાઇપ લાઇનો ચાલુ કરીને તપાસી કરવા મા આવી હતી. પાણીની પાઇપલાનો ફોર્સ બે માળ સુધી જાય તેટલો પ્રેસર પણ હોસ્પિટલ મા જોવા મળ્યું હતું.