થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ચેક વિતરણમાં આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના પાંચથી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલો છે. જે અંતર્ગત આજરોજ આજરોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા સાંસદ અને માર્કેટયાર્ડ ચેરમેન પરબતભાઇ પટેલ તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા સેક્રેટરી બી.એમ.પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર સાત મૃતકના વાલી વારસોને રૂપિયા એક-એક લાખના સાત ચેક આપવામાં આવેલા હતા.આમા સાત લોકોને આજરોજ એક લાખ રૂપિયાના વીમા કવચ ચુકવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.