ધાનેરાના લવારા ગામે રથ પહોંચ્યો : ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ ધાનેરા તાલુકાના લવારા ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માહભેર સ્વાગત કરાયુ હતું.રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, kyc અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.


રથ દ્વારા ગામમાં કુલ 486 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 13 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ સિકલસેલ એનીમિયા સ્ક્રીનીંગ 10 દર્દીઓના કરવામાં આવ્યા હતા. ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ બીમા યોજના, શિષ્યવૃતિ યોજના , સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત 486 લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, અને ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.