ગઢમાં પતિએ કુહાડીના ઘા મારી પત્નીની હત્યા કરતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના ગઢ ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં માનસિક બીમારીથી પીડાતા પતિએ સામાન્ય બાબતમાં જ કુહાડીના ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી. જે બાદ પોતે ગભરાય જતા અવાવરૂ કુવામાં ખાબકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ઘટનાની જાણ થતા જ પરિવારજનો તેમજ અન્ય લોકો આવી પહોંચ્યા હતા અને પતિને કુવામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમજ ઘટનાની જાણ થતા જ એસ.પી, ડીવાય એસ પી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.​​​​​​ આ સમગ્ર મામલે પુત્રએ જ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.પુત્ર હાર્દિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે ગઢ ગામમાં નર્મદેશ્વર મહાદેવના મંદિર ખાતે હવન અને જમણવાર રાખેલ હતો અને હું ગામમાં હાજર હતો. સાડા છ વાગ્યે મારો ભાઇ પિયુષ પણ ખેતરમાંથી ઘરે આવ્યો હતો જેથી હું અને મારો ભાઇ પિયુષ હવન અને જમણવારમાં ગયા હતા જ્યારે મારા પિતા કાળુ લખુભાઇ થેભાત તેમજ મારી માતા જોસનાબેન તેમજ મારી દાદી સમુબેન તેઓ કુવા ઉપર હતા.આ દરમિયાન રાત્રીના નવેક વાગ્યે હવન પુરો થતા હું અને મારો ભાઇ પિયુષ અમારા ગામમાં આવેલ ઘરે રોકાયેલ હતા. ત્યારે આજે વહેલી સવારના સાડા છ વાગ્યાના અરશામાં મારો ભાઇ પિયુષ ઘરેથી દુધ લેવા માટે ખેતરમાં બનાવેલા ઘરે ગયો હતો. જે બાદ મારા ભાઇએ મને ફોન કરી જાણ કરી કે, આપણી મમ્મીને માથાના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયારથી ઘા મારેલ છે અને માથામાંથી લોહી નિકળે છે તેમજ મરણ ગયેલ છે, જેથી હું તાત્કાલિક ખેતરે ગયેલ તે વખતે મારા કાકા રમેશભાઇ પરમાભાઇ થેભાત તેમજ મારો ભાઇ પિયુષભાઇ ત્યાં હાજર હતા અને મે જોયેલ તો મારી મમ્મી જોશનાબેન જેઓની આશરે ઉંમર 42 વર્ષ તેઓ ખેતરમાં બનાવેલ ઘરની આગળના ભાગે આંબલીના ઝાડ નીચે ખોટલામાં સાડી ઓઢેલ હાલતમાં પડેલ હતા અને તેમના માથાના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયારથી ઘા મારેલ હતા અને માથામાંથી લોહી નિકળેલ હતું.ત્યાર બાદ મારા પપ્પા આજુબાજુમાં કયાંય જણાયેલ નહી જેથી અમોએ મારા પપ્પાની શોધ ખોળ કરેલ ત્યારે દર્શક મીનીટ બાદ અમોએ અવાવારૂ કુવામાં જોયેલ તો મારા પપ્પા કુવામાં પડેલ હતા જેથી અમોએ તેમને બુમ મારીને બોલાવેલ પરંતુ તેઓએ કોઇ જવાબ આપેલ નહી જેથી અમોએ અમારા સગા વ્હલા અને કુટુંબીજનોને જાણ કરેલ જેથી અમારા કુટુંબીજનો અને સગા વ્હાલાં તેમજ ગામમાંથી પણ અન્ય લોકો આવેલ અને બધાયે ભેગા મળી મારા પપ્પાને કુવામાંથી ખાટલો બાંધીને બહાર કાઢેલ હતા, તે વખતે મારા પપ્પાને હાથના ભાગે ઇજાઓ થયેલ હતા તે વખતે તેઓ બેભાન હાલતમાં હતા જેથી તેમને પ્રાઇવેટ વાહનમાં પાલનપુર દવાખાને લઇને ગયેલ છે.મારા પિતાની સારવાર કરાવતાં મારા પપ્પા ભાનમાં આવતાં મારા સગા સબંધીઓએ આ બનાવ બાબતે તેમની સાથે વાતચીત કરી હતી. જેથી તેઓએ કહેલ કે, મારી માનસિક સ્થિતી સારી ન રહેતી હોઇ જેથી ગઇ કાલ સાંજે મારી પત્ની જોશનાબેન સાથે મારે બોલાચાલી થયેલ અને મને તેમના ઉપર ગુસ્સો આવેલ હતો અને રાત્રે અમો બધા રાત્રે સુઇ ગયેલ ત્યારબાદ આજ રોજ વહેલી સવારે ચારેક વાગ્યે હું જાગી ગયેલ અને ગઇ કાલે મારે અને મારી પત્નીને બોલાચાલી થયેલ તે વિચારો મારા મગજમાં ચાલ્યે જતા હતા, જેથી મને ગુસ્સો આવેલ હોઇ અને મારી માનસિક સ્થિતી સારી ન હોઇ જેથી ગુસ્સામાં ખેતરમાં પડેલ કુહાડી મારી પત્નીને માથાના ભાગે મારેલ જેથી મારી પત્નીને માથામાં લોહી આવેલ હોઇ જેથી હું ગભરાઇ ગયેલ અને અમારા ખેતરમાં અવાવરૂ કુવામાં કુદકો મારેલ હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.