કુશ્કલ ગામે બોથડ પદાર્થના ઘા મારી યુવકની હત્યા કરતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના કુશ્કલ ગામે તળાવ નજીકના વહેણમા એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અને અન્ય એક બેભાન અવસ્થામાં ગંભીર હાલતમાં મળી આવતા લોકો ટોળે વળ્યાં હતા. આ અંગે ગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી આવી હતી. અને લાશને પીએમ અર્થે તેમજ ઉજાગસ્તને સારવાર અર્થે મોકલી આપી બનાવ અંગે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામનો વતની અને પોતાના મામાના ગામ કુશ્કલ ખાતે રહીને છૂટક મજુરી કરતા એક ૪૦ વર્ષીય અપરણિત યુવકની રહસ્યમય હાલતમાં હત્યા થઈ છે. રાત્રે બાદરપુરા ઓઇલ મિલમાં લેબર તરીકે અને દિવસે છૂટક મજુરી કરતા નરસિંહભાઈ નાગરભાઈ જેહાતર (ઠાકોર) મૂળ રહે.ચડોતર હાલ રહે. કુશકલવાળાની કુશ્કલ ગામના તળાવ ના વહેણ માં હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકને કોઈ અજાણ્યા ઇસમે રાત્રીના સમયે માથા તેમજ ગુપ્ત ભાગે બોથડ પદાર્થના ઘા મારી તેમજ આરસીસી ના લેપ પર ઘસેડી તેની હત્યા કરવામાં આવી હતી. જોકે, મૃતકની લાશ પાસે ખાઈમાં મૂળ કાંકરેજ તાલુકાના થરા ગામના અને હાલ કુશકલ રહેતા ચંપકભાઈ હરિલાલ ઠક્કરને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હોઇ તેઓ પણ બેભાન હાલતમાં ગંભીર અવસ્થામા પડેલ જોવા મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતા ગઢ પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે તેમજ ઇજાગસ્તને સારવાર માટે ખસેડી બનાવ અંગે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક યુવક તેના મામાના ઘરે રહેતો હતો
ચડોતર ગામના ગામના હમીરભાઈ અને નરસિંહભાઈ ઠાકોરના માતા પીતા નાનપણ માં મરણ પામેલ હોઈ આ બન્ને ભાઈ અપરિણીત હોય પોતાના મામા ગામ કુશકલ રહીને છૂટક મંજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેમાં કોઈ અજાણ્યા ઇસમે નરસિંહભાઈ ની રાત્રી સમયે હત્યા કરતા અને અન્ય એક યુવક પર ગંભીર હુમલો કરવાના બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.