ડીસામાં વિવિધ મઠ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુરુ પૂર્ણિમા નિમિત્તે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિવિધ મઠ આશ્રમોમાં ભાવિક ભક્તોએ ગુરુ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાએ અનેક જગ્યાએ ભંડારાનું પણ આયોજન કરાયું હતું.દુનિયાના દરેક ધર્મમાં ગુરુઓનું મહત્વ અનેરુ છે. ખુદ સાક્ષાત ભગવાન અને ગુરુ બંને સાથે ઉભા હોય તો પ્રથમ ગુરુને પગે લાગવું જોઈએ કારણ કે ગુરુ જ આપણને પ્રભુનું મિલન કરાવે છે એવું સંત કબીરજીએ પણ પોતાના અમૃતવાણીમાં જણાવ્યું છે. ત્યારે આજે ગુરુ પુનમ નિમિત્તે ગુરુઓના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવવા ભક્તોએ વિવિધ મંદિર મઠ આશ્રમમાં ભીડ લગાવી હતી. જેમાં રામપુરા મઠ જાગીર, વાલેર મઠ, પેપળુ મઠ, કબીર આશ્રમ, કટાવધામ ,હાથીદરા, દેવદરબાર મઠ સહિતની જગ્યા ઉપર મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુપૂજન કરી દાન દક્ષિણા આપી આશીર્વાદ મેળવ્યા હતા.ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ વાલેરમઠ જઈ મહંત સુખદેવપુરી મહારાજના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેક મંદિરો મઠ આશ્રમમાં ભંડારાનું પણ આયોજન કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.