અંબાજી ગ્રામપંચાયતની ગ્રામસભા યોજાઈ : સ્થાનિક સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ તાલુકા પંચાયત દ્વારા અંબાજી ગ્રામ પંચાયતની અંબાજી મંદિર સંચાલિત હાઇસ્કુલ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામના આગેવાનો અને ગ્રામ વાસીઓ સહિત ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તો સાથે સાથે તાલુકા પંચાયતના અધિકારી પણ આ ગ્રામસભામાં હાજર રહ્યા હતા. ગ્રામસભામા અંબાજીના સ્થાનિક લોકોની સમસ્યાના નિરાકરણ માટે ચર્ચા વિચારણા સાથે નોંધ લેવામાં આવી હતી.અંબાજી ગામમાં પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. તો ગ્રામસભામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈપણ નિરાકરણ ન આવતા લોકોએ ગ્રામસભામાં ભારી હોબાળો કર્યો હતો. અંબાજીના ગ્રામજનોએ ગામમાં જળ સે નલ યોજનાના કામ બેદરકારીને લઈને અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે. છતાં અંબાજીમાં જળ સે નલ યોજનાની કામગીરી સંતોષદાયક ન હોવાના કારણે અંબાજીના તમામ રહેઠાંણ વિસ્તારોમાં આ યોજનાનો લાભ ન મળતા લોકોએ ગ્રામ પંચાયત વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો. તો સાથે સાથે વર્ષોથી ચાલતી અંબાજી ગામમાં ગંદકી અને રોડ, રસ્તાઓ સહિત ગટરોને લઈને પણ ફરી એક વાર રજૂઆત કરી હતી. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આજરોજ ગ્રામસભામાં આવેદનપત્ર પાઠવ્યો હતો. જેમાં અંબાજીની મુખ્ય સમસ્યાઓના નિરાકરણનો ઉલ્લેખ કરેલું છે. અંબાજીના રહેઠાંણ વિસ્તારોમાં વર્ષોથી ચાલતી આવતી ગંદકી અને ખુલી ગટરો સહિત રોડ-રસ્તાઓને લઈને વારંવાર ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે પણ તેનું નિરાકરણ કે તેનો ઉકેલ માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રયત્ન ન કરાતા અંબાજીના રહેઠાંણ વિસ્તારોની સ્થિતિ વિગત બની છે. તો સાથે સાથે લોકોને પાયાની સુવિધાઓ નથી મળી રહી જેને લઇને ગ્રામ પંચાયતની ગ્રામસભામાં આજે હિન્દુ રક્ષા સમિતિ દ્વારા ગંદકી ખુલ્લી ગટરો અને રોડ-રસ્તાઓ અને રખડતા ઢોરોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.