અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ માટે ભેળસેળીયા ઘીનો મામલો : મોહિની કેટરર્સના 3 શખ્શોની ધરપકડ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી મંદિરના મોહનાથાળ પ્રસાદ માટે ભેળસેળવાળું ઘી સપ્લાય કરવાના મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. અંબાજી પોલીસે મોહિની કેટર્સના ત્રણ લોકોની અટકાયત કરીને તપાસ કાર્યવાહી શરુ કરી છે. અંબાજી પોલીસ મથકે ઘીમાં ભેળસેળના મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો. આ દરમિયાન હવે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સાબરડેરી દ્વારા આ મામલે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે ત્યાર બાદ શરુ કરી છે. આ પહેલા પણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ભેળસેળ ધરાવતુ ઘી પધરાવવાના મામલે હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે. પોલીસ દ્વારા આ મામલામાં કોણે અને કેવી રીતે ક્યાં ભેળસેળ કર્યુ હતુ, તેમ જ ક્યાં નકલી ઘીના લેબલ તૈયાર કરવામાં આવ્યા હતા એ તમામ વિગતોની પણ તપાસ થવાની રાહ જોવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.