આબુ-પાલનપુર નેશનલ હાઈવે પર કારનું કચ્ચરઘાણ થયું, એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીક બુધવારે વહેલી સવારે નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઇ રહેલા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં લક્ષ્મીપુરા ગામ નજીક એક સ્વીફટ કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે 108 વાન અને એલ.એન્ડ.ટી. દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે કારનો ખુદડો બોલી જતાં કારના ચાલકને ભારે નુકશાન થયું હતું.

આ અકસ્માતની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે લક્ષ્મીપુરા ગામના શિવપુરા કંપા નજીક બુધવારે વહેલી સવારના સુમારે એક સ્વીફ્ટ કાર નં. GJ-12-DS-2877 ના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ગાડી ફંગોળાઇને રોડ સાઇડમાં ખાબકી હતી. જેને લઇ અકસ્માત સર્જાતાં ગાડીનું કચ્ચરઘાણ થઇ ગયું હતું.

શિવપુરાકંપા નજીક નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઇ રહેલી સ્વીફ્ટ કારને અકસ્માત સર્જાતાં કારમાં સવાર ડ્રાઇવર સહીત એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહતની કામગીરી હાથ ધરાઇ હતી. આ બનાવના પગલે 108 એબ્યુલન્સ અને એલ.એન્ડ.ટી વિભાગ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જા કે, અકસ્માતના પગલે દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે લોકોના ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે કારનો ખુદડો બોલી જતાં કારના ચાલકને ભારે નુકશાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.