બસના ચાલકે થરાદની કેનાલમાં ઝંપલાવીને જીવનલીલા સંકેલી
રખેવાળ ન્યુઝ થરાદ : બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના એક બસ ડ્રાઈવરે થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવીને જીવનલીલા સંકેલી લીધી હતી. જો કે મરતાં પહેલાં જીંદગી મારે ખુબ જીવવી છે, સાસરા પક્ષવાળા ખુબ હેરાન કરે છે તથા તેમણે પોતાની પત્ની અને સાસરીયાંમાં સાળા તથા એક યુવતીને મોતના કારણ પાછળ જવાબદાર ઠેરવતો વિડીયો વાયરલ કર્યો હતો. આ બનાવને લઇને પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચારની લાગણી પ્રસરવા પામી હતી. સોમવારના સુમારે થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઇને જતો જોતાં લોકોએ થરાદ નગરપાલિકાને જાણ કરી હતી .આથી પાલિકાની ફાયર ટીમ સાથે તરવૈયા સુલતાનમીરે દોડી આવીને જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને મૃતકના પરિવારને સોંપ્યો હતો. આ મૃતક ચાર સંતાનોના પિતા અને વાવ તાલકાના નાગજીભાઇ બાબુભાઇ પંડ્યા ઉંમર આશરે ૩૫ તથા એસ.ટી.બસના ચાલક હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેમણે આત્મહત્યા કરતાં પહેલાં ભારે હૈયે એક વિડિઓ પણ વાયરલ કર્યો હતો. જેમાં પોતાના મોત પાછળના જવાબદાર પોતાની પત્ની અને સાળા હોવાનું જણાવ્યું હતું. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી સાથે ચકચારની લાગણી પ્રસરવા પામી હતી. જો કે સાંજ સુધી આ અંગે રેકર્ડ પર કોઇ જાણકારી નહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.