થરાદની મુખ્ય નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી

બનાસકાંઠા
las canal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદને અડીને પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી એક શખસનો મૃતદેહ તણાતો પોલીસે અટકાવ્યો હતો. જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ યુવક કોણ હશે અને કેમ પડ્યો હશે તેને લઇને અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યાં હતાં.
શનિવારની સવારે થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ નજરે પડ્યો હતો. મૃતદેહ તણાઇને જતો આથી રોડ પર અવરજવર કરતા વાહનચાલકો અને ખેડુતોને નજરે પડ્યો હતો.આથી આ અંગે થરાદ પોલીસને વાકેફ કરાઇ હતી. બીજી બાજુ અનેક ખેડુતો સહિત બહોળી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસ અને નગરપાલિકાના તરવૈયાઓ કેનાલ પર પહોંચ્યા હતા. અને તરતો જતો મૃતદેહ મૃતદેહ કેનાલમાંથી બહાર કઢાવ્યો હતો. જો કે તે અજાણ્યો જણાતાં પોલીસ તેને સરકારી હોસ્પીટલમાં પી.એમ.માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ યુવક કોણ હશે તથા બનાવ અક્સ્માત,આત્મહત્યા કે હત્યાનો હશે તેને લઇને અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા.પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.