અંબાજી ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ અને પાલનપુર ધારાસભ્યના હસ્તે પ્રચાર રથનો શુભારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જેવી અનેકો કામગીરીને લઈ તેના ઉજવણીના ભાગરૂપે દેશના વિવિધ સ્થળે અને શહરો અને ગામોમાં જન સંપર્કયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જન સંપર્ક કાર્યક્રમ તારીખ 25 થી 27 જૂન ત્રણ દિવસ સુધી યોજાશે. જેમાં મોદી સરકારના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જેવી અનેક યોજનાઓ અને મોદી સરકારની કાર્ય પ્રણાલી વિશે લોકોને અવગત કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે યાત્રાધામ અંબાજીથી જન સંપર્ક યાત્રા અંતર્ગત પ્રચાર રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવામાં સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા આયોજિત જનસંપર્ક યાત્રા અંતર્ગત પ્રચાર રથ બનાસકાંઠા જિલ્લાઓના વિધાનસભા વિસ્તારોમાં યાત્રા કરશે. જેની શરૂઆત આજે રોજ સવારે અંબાજી માતા મંદિરના શક્તિ દ્વાર સામે આવેલા જુના નાકાથી કરવામાં આવી હતી. અંબાજી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.