ભીલડી- નેસડા રેલ ટ્રેક ઉપર માલગાડીની અડફેટે આઘેડનું મોત, આધેડ માનસિક અસ્થિર હોવાનું પ્રાથમિક અનુમાન

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતે મોતના બનાવોમાં પણ ચિંતાજનક હદે વધારો થવા પામ્યો છે. જેના વધુ એક બનાવમાં ડીસા તાલુકાના જુના નેસડા ગામના એક આધેડનું માલવાહક ટ્રેનની ટક્કરે મોત થયુ છે. મૃતક પુરૂષ માનસિક રીતે અસ્થિર અને કાને ઓછું સાંભળતાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાને લઇ ભીલડી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામના બનાજી મેઘજી રાઠોડ ( ઉ. વ. ૫૦ ) નું સોમવારે સવારે ભીલડી અને નેસડા વચ્ચેની રેલ ટ્રેક પર માલવાહક ટ્રેનની ટક્કરે મોત થયુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, બનાજી રાઠોડની હાલત માનસિક અસ્થિર અને તેઓ કાને ઓછું સાભળતાં હોવાથી રેલવે ક્રોસિંગ વખતે અડફેટે આવતાં તેમનું મોત થયુ છે. ઘટનાને લઇ ભીલડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે પંથકમાં અરેરાટી છવાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.