કંબોઇ અને ઉંબરી વચ્ચે બનાસ નદી ઉપર ડાવવર્જન ધોવાતાં ગામોનો સંપર્ક તૂટ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના કંબોઇથી ઉંબરી વચ્ચે નવો પુલ બની રહ્યો હોઇ ડાયવર્જન અપાયું છે. જે માર્ગ બનાસનદીમાં આવેલા પાણીથી ધોવાઇ જતાં પાટણ – બનાસકાંઠા વચ્ચેનો વાહન વ્યવ્હાર ખોરવાઇ ગયો છે. સ્થાનિક લોકોને પણ નદી પસાર કરવા માટે જીવના જોખમે રેલવે પુલ ઉપરથી પસાર થવું પડી રહ્યું છે.કાંકરેજ તાલુકાના ઉંબરી કંબોઇ વચ્ચે પસાર થતી બનાસનદી ઉપરનો પુલ જર્જરિત થઇ ગયો હોઇ નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં પુલની બાજુમાં ડાયવર્જન અપાયું છે. જોકે, બિપોરજોય વાવાઝોડું અને ભારે વરસાદ તે પછી વર્તમાન સમયે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવતાં બનાસનદીમાં પાણી વહેતું હોવાથી આ ડાયવર્જન રોડ ધોવાઇ ગયો છે. જેથી પાટણ અને બનાસકાંઠા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. તેમજ સ્થાનિક લોકોને પણ નદી પસાર કરવા માટે રેલવે પુલ ઉપર જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે.કંબોઇ વિસ્તારના ગામડાના લોકોને તાલુકા મથક શિહોરી સાથે સંપર્ક રહ્યો ન હોવાથી મામલતદાર, તાલુકા પંચાયત કે બેંકોમાં કામકાજ માટે પણ જઈ શકાતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.