બનાસકાંઠાની ૧૫૪ ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત ૭૫ હજાર અબોલ જીવોના માથે સંકટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
બે મહિના લોકડાઉનના સમય ગાળામાં કોરોનાની મહામારીમાં મોટાભાગનું દાન માનવ સેવા અને પીએમ અને સીએમ કેર તરફ જતા ગૌશાળા પાંજરાપોળની દાનની આવક બંધ થઈ ગઈ છે તો બીજીતરફ લોકોના ઘરમાં પશુઓને ખાવાનું ન હોવાથી તે પશુઓને ગૌશાળા પાંજરાપોળમાં છોડવામાં આવે છે. જેથી ગૌશાળા પાંજરાપોળમા ખર્ચનું ભારણ વધ્યું છે અને જો ગૌશાળા પાંજરાપોળ લોકોના પશુઓ લેવાની ના પાડે તો તે પશુઓ ગેરમાર્ગે જવાની ભીતિના કારણે ગૌશાળા પાંજરાપોળને પશુઓ લેવા પડે છે.દેવું કરીને પણ પશુઓને નિભાવ્યા છે પણ હવે સરકાર મદદ કરે તો જ ચાલે તેમ છે નહીંતર આ પશુઓ ભૂખથી મોતને ભેટે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.
રાજપુર ડીસા પાંજરાપોળના ટ્રસ્ટી ભરતભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે સરકાર પ્રતિદિન પશુ દીઠ ઓછામાં ઓછાં રૂ ૫૦ની સહાય ડિસેમ્બર સુધી જાહેર કરે તેવી સંચાલકોની માંગ છે.એક એક મહિના માટે નહીં પણ લાંબા સમય સુધીનું ડિકલેર કરવું પડશે. જ્યારે બીજી બધી યોજનાઓ લાંબાગાળા ની છે તો ગૌશાળા પાંજરાપોળ માટે કેમ કોઈ યોજના નહિ.?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.