![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/જાગૃતિ-સેમિનાર-યોજાયા-hed.jpg)
બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર શાળા કોલેજમાં નવા ત્રણ કાયદાઓની અંગે જાગૃતિ સેમિનાર યોજાયા
બનાસકાંઠા જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનો ખાતે નવા ત્રણ કાયદાઓની અમલીકરણ તેમજ અગત્યતા અંગે જાગૃતિ સેમિનાર યોજાયા: બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપર શાળા કોલેજમાં પહેલી જુલાઈ થી લાગુ પડતા નવા ફોજદારી કાયદા અને જોગવાઈ થી લોકો ને તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા બનાસકાંઠા પોલીસ સ્ટાફ સહીત કોલેજ સ્ટાફ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર અલગ અલગ સેમિનારમાં હાજર રહ્યા હતા
1 જુલાઈ 2024ના સંપૂર્ણ ભારતમાં નવા ફોજદારી કાયદાઓ લાગુ થઈ રહ્યા જેને લઈ આજે લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સેમિનાર થકી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ સ્થળો ઉપર વિધાર્થીઓને તેમજ લોકો ને જાગૃત કરવાના હેતુથી પોલીસ દ્વારા જૂના ફોજદારી કાયદા IPC, CRPC અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ ની બદલે આજથી લાગુ પડતા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 વિષે સેમિનાર યોજી વિસ્તૃત માહિતી આપી હતી.