બનાસકાંઠાઃ બે ગામ નજીકનો વિસ્તાર રોગગ્રસ્ત, ૨૦મે સુધી જાહેરનામું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, બનાસકાંઠા

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા કલેક્ટરે બે ગામ નજીકના વિસ્તારમાં ૨૦મે સુધી જાહેરનામું વધાર્યુ છે. જેમાં પાલનપુર તાલુકાના ગઠામણ અને વાવ તાલુકાના મીઠાવીચારણનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, આ બંને ગામોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા છે. જોકે આ બંને ગામોના વિસ્તારમાં પોઝિટીવ કેસો વધુ પોઝિટીવ કેસો મળતાં કલેક્ટર દ્રારા આગામી ૨૦મે સુધી જાહેરનામું વધાર્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને વાવ તાલુકાના બે ગામ નજીકના વિસ્તારમાં જાહેરનામું વધારવામાં આવ્યુ છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં ૨૧ અને વાવ તાલુકામાં ૬ કેસો નોંધાયા હતા. જોકે હવે બનાસકાંઠા કલેક્ટરે ગઇકાલે જાહેરનામું બહાર પાડી હોદ્દાની રૂએ આગામી ૨૦મે સુધી ગઠામણ અને મીઠાવિચારણ ગામ નજીકના વિસ્તારોમાં જાહેરનામું વધાર્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.