બનાસકાંઠામાં લીઝધારકોની હડતાળ : ખાણ ખનીજ વિભાગની ગાઇડલાઇન સુધારવાની માંગ
બનાસકાંઠા જિલ્લાના ખનીજ લીઝ ધારકો હડતાળ પર ઉતર્યા છે. ખાણ ખનીજ વિભાગે લીઝમાં વપરાતા વાહનો અને ખનીજ વહન કરતા વાહનોમાં ફરજિયાત GPS સિસ્ટમ કરી છે. જોકે તેને લઈ હવે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન બ્રેક ડાઉન થવા અને ટ્રાફિકમાં બંધ રહેવાની સ્થિતિમાં વાહન ધારકોને મોટી સમસ્યા દંડની સર્જાઈ છે.
ઓનલાઈન સિસ્ટમ હોવાને લઈ વાહન મોડું પહોંચવાને લઈ વાહન માલિકોને દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આમ બ્રેક ડાઉન અને ટ્રાફિકની સ્થિતિમાં વાહન મોડા પહોંચવા પર દંડની સ્થિતિ નિવારવા માટે ગાઈડલાઈનમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. જિલ્લાની લગભગ 250 થી વધારે લીઝ હાલમાં હડતાળને લઈ બંધ છે.