બનાસકાંઠા ગૌશાળા – પાંજરાપોળ સંચાલકોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોનાના કપરા કાળમાં બનાસકાંઠા જિલ્લામાં પાંજરા પોળ અને ગૌશાળાઓમાં આશ્રિત અબોલ જીવોને જીવાડવા સરકારી સહાય મેળવવા માટે સંચાલકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા નાછૂટકે આંદોલન છેડી છેલ્લા ચારેક દિવસથી ગાયો અને ગૌવંશ વિવિધ સરકારી કચેરીઓમાં છોડવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ બાબતને લઈ બુધવારે મુખ્યમંત્રીના આવાસ સ્થાને સંચાલકોની બેઠક થઈ હતી. આ બેઠકમાં પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવાની યોજના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ભરતભાઇ કોઠારીએ ગૌશાળા અને પાંજરાપોળોને તાત્કાલિક બાકી સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી. જેથી સહાય આપવા બાબતે મુખ્યમંત્રીએ રજૂઆત સાંભળી તેના પર વિચારવા જણાવ્યું હતું ત્યારબાદ પણ હજુ સુધી કોઈ સહાય ચૂકવાઇ નથી અને ધીરે ધીરે ગ્રામ્ય લેવલે આ આંદોલનની શરૂઆત થઈ છે. આ બાબતે ડીસા – રાજપુર પાંજરાપોળના પ્રમુખ ભરતભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સહાય આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી સાથે બેઠક બાદ આંદોલનનો સુખદ અંત આવવાની જગ્યાએ હવે આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી સ્થિતિ નિર્માણ પામી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.