![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/01-4.jpg)
બનાસકાંઠાના ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ : પહેલાં માવઠાના કારણે નુકસાન
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક તો માવઠાવા કારણે ખેતીમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે થોડા ઘણા વધેલા પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જે બાદ નિલગાય અને ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલીકે ભૂંડ અને નીલગાયનો કંઇક નિકાલ કરે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ એક બાદ એક આફતો આવી રહી છે. ક્યાંક માવઠાના કારણે નુકસાન તો ક્યાંક કેનાલો તૂટવાના કારણે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. જોકે, હવે સરહદી પંથકના ખેડૂતોને ભૂંડોનો ત્રાસ વધતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, વાવ તાલુકાના લોદ્રાણી ગામમાં ખેતરોમાં ભૂંડો આતંક મચાવી રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ ઉભા પાકોમાં જમીન ખોદી દેતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આ્યો છે. ખેડૂતોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે સરકાર કોઈ નિકાલ કરે તો આ ભૂંડોના ત્રાસથી છુટકારો મળી શકે તેમ છે.