બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડા બાદ પ્રથમ ત્રણ રાઉન્ડમાં 63.39 ટકા વરસાદ વરસ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ વિભાગનાં કુલ 2873 ચેકડેમ આવેલ છે.જેમાં 2012 ચેકડેમ છલકાયા છે જ્યારે 861ચેકડેમ છલકાયામાં હજુ નહિવત માત્રામાં પાણી આવ્યુ છે.બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો 63.39 ટકા વરસાદ વરસતાં ભૂગર્ભ જળસ્ત્રોતમાં સુધારો જોવા મળ્યો છે. સિંચાઈ વિભાગ હસ્તકના 2012 ચેકડેમ છલકાયા પછી તેના કમાન્ડ વિસ્તારમાં આવતા 900 થી વધુ બોરકૂવા રીચાર્જ થવાની શરુઆત થઈ છે. જ્યારે અન્ય ચેકડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.ચોમાસા પૂર્વે તમામ વિસ્તારોમાં સુજલામ સુફલામ અભિયાન હેઠળ છેલ્લા 3 મહિનાથી જળસંચયના કામો શરુ કરવામાં આવ્યા હતા.

ચેકડેમોમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય તેવા પ્રયાસ સાથે ચેકડેમ ઉંડા કરવામાં આવ્યા છે. વરસાદનું ફોગટમાં વહી જતું પાણી સંગ્રહીત કરવાના પ્રયાસને સફળતા મળી છે. જોગાનું જોગ આ વર્ષે જૂન મહિનાથી વરસાદે પાછલા વર્ષના ચોમાસાના રેકર્ડ થયા છે. બિપોરજોય વાવાઝોડું ત્યારબાદ પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડના વરસાદમાં તમામ 14 તાલુકા જળતરબોળ બન્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.