બનાસકાંઠા જિલ્લા કલેકટરે બદલીનો ગંજીફો ચિપ્યો : જિલ્લાના 52 નાયબ મામતલદારોની કરાઈ બદલી

બનાસકાંઠા
બનાસકાંઠા

ચૂંટણી પૂર્ણ થતાં મહેકમની મુદત પૂર્ણ થતાં કરાઈ સામુહિક બદલીઓ: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી ફરજમાં તૈનાતમાં કર્મચારી ઓના મહેકમની મુદત પૂરી થતાંબનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે બદલીનો ગંજીફો ચિપ્યો હતો. જિલ્લા કલેકટરે 52 નાયબ મામલતદારો ની બદલીઓ કરી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં કાર્યરત 52 નાયબ મામલતદારોની બદલીના આદેશ કર્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં મહેકમની મુદત પૂર્ણ થતાં બદલીઓ કરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં વિવિધ તાલુકા મથકોએ ફરજ બજાવનારા 52 નાયબ મામલતદારોની સામુહિક બદલીઓ કરાઈ છે. ચૂંટણી પૂર્ણ થતાં નાયબ મામલતદારોની અન્ય જગ્યાઓ પર જાહેર હિતમાં અને વહીવટી સરળતા માટે બદલીઓ કરાઈ છે. જોકે, કેટલાક નાયબ મામલતદારોને કી-પોસ્ટ પર નિયુક્ત કરાયા છે. ત્યારે નાયબ મામલતદારોની બદલીઓ ને લઈને કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.

52 નાયબ મામલતદારો ની બદલી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.