બનાસકાંઠાના ગૌશાળા સંચાલકોએ ગાયોને ઓફિસોમાં છોડી મુકવાની ચિમકી ઉચ્ચારી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ગૌ શાળાના સંચાલકોને ગાયોના નિભાવ માટે સહાય પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી સામેના બગીચામાં ધરણા કર્યા હતા. અને જો સરકાર દ્વારા કોઇ યોગ્ય ર્નિણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાયોને જાહેર રોડ ઉપર તેમજ સરકારી ઓફિસોમાં છોડી મુકવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચોમાસામાં પડેલા વરસાદથી ઘાસચારાને વ્યાપક નુકસાન થયું છે. બીજી તરફ સરકાર દ્વારા પણ કોઈ સહાય આપવામાં આવી ન હોઈ આવી સ્થતિમાં જિલ્લાની ગૌ શાળાઓમાં પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકોને ગાયોના નિભાવ માટે સહાય પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી સામેના બગીચામાં ધરણા કર્યા હતા.
આ અંગે ગૌશાળા સંચાલક ભરતભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે, કોરાના મહામારી દરમ્યાન આ સહાય પેકેજ ચુકવવામાં આવે તેવી માગ છે. જો સરકાર દ્વારા કોઇ યોગ્ય ર્નિણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાયોને જાહેર રોડ ઉપર તેમજ સરકારી ઓફિસોમાં છોડી મુકવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.