બનાસકાંઠામાં કોરોનાનો વધુ બે પોઝિટિવ કેસ

બનાસકાંઠા
CORONA
બનાસકાંઠા

પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં સોમવારે મોડી સાંજે વધુ બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતીવાડાના શેરગઢ ગામે મુંબઈથી આવેલા પિતા- પુત્રનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૯ થવા પામી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. હવે માત્ર ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે આવી સ્થિતિમાં જિલ્લામાં સોમવારે મોડી સાંજે વધુ બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતીવાડાના શેરગઢ ગામે મુંબઈથી આવેલા પિતા- પુત્રનો રિપોર્ટ પોઝિટિવ છે. જેમને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૯ થવા પામી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૪ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.