બનાસબ્રિજ બન્યો જર્જરીત… વાહન ચાલકો ભયભીત : બ્રિજ નું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

જો કોઈ દુર્ઘટના ઘટે પછી સરકાર સહાય આપે તેના કરતા દુર્ઘટના પહેલા જ બ્રિજ નું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ છે. બનાસકાંઠા ના ઈકબાલગઢ થી બાલુન્દ્રા જતા બનાસ નદી પર વર્ષો પહેલા બાંધેલો બ્રિજ અતિ જ્જરીત બન્યો છૅ. જેના લીધે વાહન ચાલકોને આ બ્રિજ પર થી ચાલવામાં પણ ભય લાગે છે. જેના લીધે લોકો બ્રિજ ને રીપેરીંગ કરવાની માંગ કરી રહ્યા છૅ.

રખેવાળ પ્લસ ચેનલ ના ખાસ અહેવાલ માં ઈકબાલગઢ થી બાલુન્દ્રા અને રાજસ્થાન  જતા બનાસ નદી પર વર્ષો પહેલા બ્રિજ બાંધવામાં આવ્યો હતો. જોકે આ બ્રિજ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આ બ્રિજ નું કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ થયું નથી. હમણાં બાર મહિના પહેલા પણ મીડિયા માં અહેવાલ પ્રકાશિત થયા બાદ  પરચુરણ કામ કરી ને તંત્ર એ સંતોષ માન્યો હતો. પરંતુ બાર મહિના વીત્યા બાદ  બ્રિજ ફરી જ્જરીત બન્યો છૅ. બ્રિજ ની બંને સાઈડો તૂટી જવાથી લોખંડ પણ દેખાવા લાગ્યું છૅ. જો બ્રિજ પર કોઈ અકસ્માત થાય તો વાહન નદીમાં ખાબકી શકે તેમ છૅ.

જયારે રખેવાળ પ્લસ ની ટિમ બનાસ નદીના પટમાં જઈ બ્રિજના દ્રષ્યો જોયા તો તે પણ ભયભીત થઈ ગયા. કારણ કે બ્રિજ પર વાહનો ચાલતા હોવાથી બ્રિજ નીચેના પોપડા પણ નીચે પડતા દેખાયા હતા. અને બ્રિજ માં રહેલું લોખંડ પણ હવામાં ઝુલતું નજરે પડે છે. આ બ્રિજ ગુજરાત થી  રાજસ્થાન ને જોડતો બ્રિજ છૅ અને અહીંયા દિવસે હજારો ગાડીઓ ની અવર જવાર હોય છૅ, અને જો કોઈ અનિચિત બનાવ બને તો જવાબદાર કોણ ?

ખાસ વાત કરવામાં આવે તો 2015 માં જયારે બનાસ નદી ગાંડીતુર બની હતી ત્યારે આ બ્રિજ ને નદીનું પાણી અડવામા માત્ર ત્રણ ફૂટ બાકી હતું. જો આ વર્ષે પણ બનાસ નદીમાં જો વધારે પાણી આવે તો UP જેવી ઘટના ઘટે તો કોઈ નવાઈ નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.