પાલનપુર તાલુકાના સાંગલા ખાતે પ્રાંત અધિકારી ના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો મારી માટી- મારો દેશ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ‘મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે પાલનપુર તાલુકાના સાંગલા ખાતે પ્રાંત અધિકારી પી. સી. દવેના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો મારી માટી, મારો દેશ માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અગ્રણીઓ મોતીભાઇ પાળજા, અમીષપુરી ગૌસ્વામી, ભરતસિંહ સહિતના આગેવાનો, મામલતદાર ધર્મેશ કાછડ, તાલુકા વિકાસ અધિકારી રાકેશ પટેલ સહિત વિવિધ ગામના સરપંચઓની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદ વીરોને સલામી આપવામાં આવી હતી. ”મારી માટી- મારો દેશ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે સાંગલાના ગ્રામજનોઓએ હાથમાં પવિત્ર માટી લઈ વિકસીત ભારતના સાથ અને સહકાર માટે અથાગ પરિશ્રમ કરવા તથા આપણા મહાન ભારત દેશના ભવ્ય વારસા પર ગર્વ લેવા અને તેનું જતન કરવા તથા ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીને આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે કામ કરતા રહેવા અને રાષ્ટ્ર પ્રત્યેની અતુટ ફરજોનું પાલન કરવાના પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના સંકલ્પ લીધા હતા. સાંગલા ગામે વૃક્ષારોપણ દ્વારા ”વસુધા વંદન થકી અમૃત વાટિકા તૈયાર કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થી સમગ્ર પાલનપુર તાલુકામાં દેશ ભક્તિનો માહોલ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.