પાલનપુરમાં બાલમંદિરમાં રામ લલ્લા મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનાં ભાગ રૂપે નાના ભૂલકાઓએ રામની પૂજા-અર્ચના કરી
સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિતસ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન એમ.આર.એચ બાલમંદિર પાલનપુરના નાના ભૂલકાઓ એ રામાયણ આધારિત વિવિધ વેશભૂષા ધારણ કરીને શાળામાં પહોંચ્યા હતા બાળકો કાલી ઘેલી ભાષા માં રજૂઆત કરી વાલીઓ ને આનંદિત કર્યા હતા.
સંસ્થાનાં પ્રમુખ રમેશભાઇ પટેલ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેઓ બાળકો માં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો નું સિંચન થાય અને બાળકો બાળપણ થી જ ધાર્મિક સંસ્કાર કેળવે તેવો આગ્રહ રાખે છે ,જેમના માર્ગદર્શન થકી બાળકો રામાયણ નાં વિવિધ વેશભૂષા ધારણ કરી ને આવેલ અને કળશ પૂજન કરી વાતાવરણ ને પવિત્ર બનાવી બનાવ્યું હતું કાર્યક્રમ માં કેમ્પસ ડાયરેકટર મહેન્દ્ર ભાઈ પંચાલ ઉપસ્થિત માં બાલમંદિર નાં આચાર્યા દર્શનાબેન મોદી એ અયોઘ્યા માં જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જે વિશે માહિતી આપી હતી આ આયોજન માં સમગ્ર સ્ટાફે સહયોગ આપી સફળ બનાવ્યો હતો.