અંબાજી ખાતે મહા રક્તદાન કેમ્પમાં 2000 જેટલા લોકોએ રક્તદાન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન માટે અનેક સંસ્થાઓ અને સરકાર દ્વારા કાર્યક્રમો યોજાતા હોય છે. દેશભરમાં અનેક સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. રક્તદાન વિશે માહિતી આપતા હોય છે. સાથે સાથે સરકાર પણ અનેક કાર્યક્રમો રક્તદાનને લઈ કરતી હોય છે. લોકો પણ રક્તદાન કરી માનવ સેવાનું કાર્ય કરતા હોય છે. જેથી કોઈપણ જરૂરીયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે અને તેમને જીવનદાન મળે. આજરોજ અંબાજી ખાતે નર્સિંગ કોલેજમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.પુષ્પાબેનબા બારોટની યાદમાં તેમના પરિવાર લક્ષ્મણ કે. બારોટ અને વનરાજસિંહ એલ.બારોટ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં 2000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ત્યારે દરેક વ્યક્તિને એક ચાંદીનો સિક્કો યાદ સ્વરૂપ અને સર્ટી આપવામાં આવ્યું હતું. સાથે સાથે માનવ કલ્યાણના ઉદ્દેશ્યથી આજે રક્તદાન શિબિરમાં લોકો સહ ભાગીદાર થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.