ધાનેરામાં ગુટકાના વેપારીઓએ ઉઘાડી લૂંટ શરૂ કરી દેતા લોકોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : કોરોના વાયરસને લઇ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર દેશમાં પાન મસાલા ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઇને કેટલાક વેપારીઓ બેફામ બન્યા હતા અને આડેધડ ગરીબ અને ભોળી પ્રજાને લૂંટી પાંચ રૂપિયાની વસ્તુના પ૦ રૂપિયા વસૂલ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ધાનેરામાં પણ કેટલાક વેપારીઓએ લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં કાળા બજારી કરી મોટા પ્રમાણમાં ગોરખ ધંધો કર્યો હતો. પાંચ રૂપિયાની ગુટકા ૫૦ રૂપિયામાં અને પાંચ રૂપિયાની તમાકુ ૨૦૦ રૂપિયામાં વેચી લોકો પાસેથી આડેધડ પૈસા પડાવ્યા હતા. તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને ધાનેરાના એક જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક તંત્ર, પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકાને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ વેપારીઓએ લોકોને લૂંટવાનું ચાલુ જ રાખ્યું હતું. તે બાદ ગઈ કાલે પણ ગુજરાત રાજસ્થાનની બોર્ડર સીલ કરી હોવાના સમાચાર મળતા જ ફરીથી આવા કેટલાક વેપારીઓ સક્રિય બન્યા હોવાની રાવ ઉઠી છે. અને લોકોને લૂંટવામાં મસ્ત બન્યા છે. બોર્ડર સીલ કરતાની સાથે જ આ વેપારીઓએ ગુટખામાં ભાવમાં વધારો કરી દીધો હોવાની અને લોકોમાં એક નવો સંદેશો આપે છે કે આવનારા સમયમાં ગુટકા તેમજ તમાકુ બંધ થઈ જશે. જેથી લોકો પણ દુકાનો પર ગુટકા અને તમાકુ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે કેટલીક દુકાનોમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. નહી તો લોકોમાં સોશિયલ ડિસટન્સ જોવા મળ્યું હતું કે ના તો સેનેટાઈઝરનો ઉપયોગ ત્યારે તંત્ર આવા લેભાગુ અને લૂંટારૂ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.