ભાભરના માનપુરા ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર તાલુકાના માનપુરા ગામની આંગણવાડીનું મકાન 1 વર્ષથી જર્જરિત હાલતમાં છે. નવીન આંગણવાડીના મકાન માટે સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. હાલ 92 બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આંગણવાડીનું નવું મકાન બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.જો સત્વરે નિર્ણય નહીં લેવાય તો મોટી જાનહાનિ થાય તેવી દહેશત સેવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.