ગાંધીનગર દ્રારા રૂ.25, 000 ના ઇનામ જાહેર કરેલો ફરાર બુટલેગર ઝડપાયો
લોકસભાની સામાન્ય ચુંટણીઓ શાંતિપુર્વક યોજાય અને દારૂ તથા જુગારની બદી નેસ્ત નાબુદ થાય તે માટે જિલ્લા તથા જિલ્લા બહાર ના નાસતા ફરતા તથા ઇનામી જાહેર કરેલ આરોપીઓ ઝડપી લેવા માટે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પાલનપુરના માર્ગદર્શન હેઠળ એક ટીમનુ ગઠન કરવામાં આવ્યુ હતુ. અને આ પ્રકારના આરોપી ઝડપી લેવા સુચના આપવામાં આવી હતી.
બનાસકાંઠા એલસીબી પી.આઇ વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર સ્ટાફના પીએસઆઇ એસ.જે.પરમારની ટીમે બાતમીના આધારે હકીકત મેળવી દાંતીવાડા કોલોની ખાતેથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્રારા 25 હજારના ઇનામી જાહેર કરેલ નાસતા ફરતા કુખ્યાત બુટલેગર ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાધેલા (દરબાર) રહે.રામનગર તા.દાંતીવાડાને ઝડપી લઇ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.