![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-136.jpg)
અમીરગઢમાં માત્ર દોઢ ઇંચ વરસાદ થઈ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા
બનાસકાંઠામાં આમ તો દરેક તાલુકામાં પુરતો વરસાદ છે. જોકે, અમીરગઢમાં હાથતાળી આપતો વરસાદ ગત રાત્રે આવ્યો હતો. જોકે, માત્ર દોઢ ઇંચ વરસાદથી પણ ચાંદની ચોકનીમાં પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ચાંદની ચોકની આ સમસ્યા સતત રહેતા લોકોએ ગ્રામપંચાયતમાં અસંખ્ય રજૂઆતો કરવા છતાં લોકોની સમસ્યા હલ ન થતાં આખરે વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. જોકે, ક્યાંક તંત્રની બેદરકારીના લીધે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આજે અમીરગઢમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ બચારોમાં નદીઓ વહેતી થઇ હતી. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા.