અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદથી ભારે નુકશાન : ખેડૂતોને પડતા પર પાટું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે રાત્રે અમીરગઢ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કમોસમી માવઠું થયું હતું જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા તો ખેડૂતોએ પણ તૈયાર કરેલા બાજરીનો પાક પણ નષ્ટ થઈ ગયો છે તો વળી અમીરગઢના આંબાપાની ગામે એક ખેતરમાં વિજળી પડતા પણ એક ભેંસનું મોત થતાં પશુપાલકને નુકસાન થયું છે. ભેંસનું મોત થતા પશુપાલક આદિવાસી પરિવારની હાલત કફોડી બની ગઈ છે.એક તરફ કોરોનાના કારણે મજૂરી કામ બંધ છે ત્યારે માંડ પશુપાલન પર નભતા આદિવાસી પરિવાર ભેંસનું મોત થતા મોટું નુકસાન થયું છે.અગાઉ પણ આ વિસ્તારમાં મહિના અગાઉ લોકડાઉનના સમયમાં કમોસમી માવઠું થયું હતું ત્યારે પણ અહીંના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આમ વારંવાર નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.