અંબાજી ગબ્બર 4 દિવસ ચડવાના અને 4 દિવસ ઉતરવાના પગથીયા બંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી ખાતે આવનારી તારીખ 23/09/2023 થી 29/09/2023 સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને માઈભક્તો મા જગતજનની અંબાના દર્શને આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ગબ્બર ખાતે પણ પગપાળા કરીને મા જગદંબાના અખંડ જ્યોતના દર્શન કરવા પગથિયા ચડીને જતા હોય છે. સ્વચ્છતા અને સલામતી જળવાઈ રહે તે હેતુથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓને કોઈપણ તકલીફ ના પડે તે હેતુથી પગથીયાઓનું સુવ્યવસ્થા અને સમારકામ આજથી કરવામાં આવશે.


તારીખ 01/09/2023થી તારીખ 04/09/2023 સુધી ગબ્બર ચડવાનો રસ્તો બંધ રહેશે. જેને લઈ યાત્રિકો ગબ્બર ઉતરવાના રસ્તેથી જ ગબ્બર દર્શન માટે ચડવા અને ઉતરવા માટે એક જ રસ્તાનો ઉપયોગ કરી શકશે. તારીખ 05/09/2023 થી તારીખ 08/09/2023 સુધી ગબ્બર ઉતરવાનો રસ્તો બંધ રહેશે અને યાત્રિકો ગબ્બર ચડવાના રસ્તેથી જ ગબ્બર દર્શન માટે ચડવાનું અને ઉતરવાનું એક જ રસ્તાનો ઉપયોગ કરી શકશે. સપ્તાહ પછી કાર્ય પૂર્ણ થતાં જ રાબેતા મુજબ ગબ્બર દર્શન માટે બંને રસ્તાઓનો યાત્રિકો ઉપયોગ કરી શકશે.આવનારી ભાદરવી પૂનમમાં લાખોની સંખ્યામાં યાત્રિકો ગબ્બર પગથીયા ચડીને માતાજીના અખંડ જ્યોતના દર્શન કરતા હોય છે. તેને ધ્યાને રાખી પગથીયાનું સમારકામ કરવાનું નક્કી કર્યું છે. જેથી યાત્રિકોને કોઈપણ અસુવિધા ન સર્જાય અને સુવ્યવસ્થિત તરીકે માતાજીના અખંડ જ્યોતના દર્શન કરી શકે તે હેતુથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.