અંબાજી માં માનસરોવર માં આવેલા નવા નીર નાં વધામણાં કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ નાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણ ગિરિ બાવા તથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ ભરત ભાઇ પાધ્યા દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વીધી માં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. ને ખેડુતુ અને પશુ પક્ષીઓ સહીત અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવતું હોવાનુ ભરતભાઈ પાધ્યા ( ભટ્ટજી મહારાજ,મંદિર ) અંબાજી એ જણાવ્યુ હતું તેમજ પુજા વીધી બાદ સુખડી અને ઘઉ ચણા ના ઠોઠા નો પ્રસાદ વહેચવામા આવે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.