![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/thrad-01-hed.jpg)
થરાદ તાલુકાના 6 ગામોના પરિવારોને ઘર વગરના લોકોને પ્લોટની ફાળવણી અને સણદો આપવામાં આવી
પ્લોટની ફાળવણી અને સણદો અપાઇ:થરાદના 6 ગામોના 45 લાભાર્થીઓને ટીડીઓના હસ્તે પ્લોટના સણદોની ફાળવણી કરવામાં આવી થરાદ તાલુકાના 6 ગામોના પરિવારોને તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના 45 લાભાર્થીઓને પ્લોટની ફાળવણી અને સણદો આપવામાં આવી હતી અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરીયાણા કીટ આપવામાં આવી હતી.
થરાદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં તાલુકાના ઘર વગરના લોકોને પ્લોટની ફાળવણી અને સણદો આપવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, છ માર્ચના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં લેન્ડ કમિટીની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં છ તાલુકાના લાભાર્થીઓની અરજીઓ આવી હતી. જેમાંથી અરજીઓ ધ્યાને લઈ છ ગામોના 45 જેટલા લાભાર્થીઓના પ્લોટ મંજૂર કર્યા છે અને સણદ વિતરણ કરવામાં આવી છે. પ્લોટ વિતરણ કાર્યક્રમ બાદ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત ખાતે આવેલા દાનમાંથી વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરિયાણાની કીટ વિતરણ પણ કરવામાં આવી હતી.
દિવાળીબેન વાદીએ સણદોની ફાળવણી થતાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રીસ વર્ષથી છાપરાં બાંધી રહેતા કોઈ અમારો આધાર ન હતો. આજે અમને મફત પ્લોટ સણદોની ફાળવણી કરવામાં આવતા આખો પરીવાર અમારો વહીવટી તંત્રનો આભાર માને છે.