છાત્રાલયમાં ભોજન અનિયમિત મળતું હોવાના આક્ષેપ સાથે સમાજ કલ્યાણ અધિકારી અને કલેકટર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર- અંબાજી હાઈવે પર હોસ્ટેલના વિદ્યાર્થીઓને કાઢી મૂક્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં અનિયમિતતાને લઈને રજૂઆત કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કઢાયા હોવાના આક્ષેપો તો થયા છે પરંતુ સંચાલકનું કહેવું છે કે એક વિદ્યાર્થીની અનિયમિતતા હતી અને જેને લઈને આ વિદ્યાર્થીને એડમિશન રદ કર્યું છે. પરંતુ હવે સમગ્ર મામલો કલેકટર કક્ષાએ પહોંચ્યો છે.પાલનપુર -અંબાજી હાઈવે પર આવેલી ભૂમિ કુમાર છાત્રાલય જે સમાજ કલ્યાણની ગ્રાન્ટ હેઠળ ચાલે છે.જેમાં અંદાજિત 50 જેટલાં વિદ્યાર્થીઓ નિર્વાહ કરે છે.જો કે આજે આજ હોસ્ટેલના 30 જેટલાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જમવાનું ન મળતું હોવાના આક્ષેપ સાથે સૂત્રોચાર કરી સમાજ કલ્યાણની કચેરીએ પહોંચ્યા હતા.અને રજૂઆત કરી હતી.અને ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને પણ સમગ્ર મામલાની રજૂઆત કરાઈ હતી. જો કે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયા છે કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈ અગાઉ વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારીને રજૂઆત કરી તો હોસ્ટેલના સંચાલક દ્વારા આ વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર કાઢી દેવાયા છે.


તો બીજી તરફ રાજુભાઈ ડાભી હોસ્ટેલ સંચાલકનું કહેવું છે કે આ 30 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી અનિયમિત હતો અને જેને કારણે તેનું એડમિશન રદ કર્યું છે. બીજા વિદ્યાર્થીઓ પર અસર ન થાય તે હેતુથી આ વિદ્યાર્થીની હોસ્ટેલમાં જરૂર નથી. બીજા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સાથે પોલિટિકલી જોડાયા છે અને આ પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે વિદ્યાર્થીઓ આવી અને લેખિતમાં માફી માગશે તો તેમને સ્વીકાર થશે જોકે તેઓએ સમાજ કલ્યાણ અધિકારીએ પણ વિદ્યાર્થીઓ બે દિવસથી જમ્યા ન હોય તેવો પત્ર લખ્યો છે પરંતુ 30 જેટલા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલ છોડી અને કલેક્ટર કચેરીએ આવ્યા છે ત્યારે હવે કલેક્ટર કક્ષાએથી કયા પ્રકારની તપાસ થાય છે તે જોવું રહ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.