કોટેશ્વર મહાદેવ મંદિર નજીક સરસ્વતી નદીના ચારેય કુંડ છલોછલ ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે અંબાજી પંથકમાં વહેલી સવારથી મુસળધાર વરસાદ વરસતા અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તો અંબાજી નજીક આવેલા નદી નાળાઓમાં પણ પાણીનો ભારી પ્રવાહ જોવા મળી રહ્યો છે. અંબાજી નજીક આવેલા કોટેશ્વર ધામ જોડે સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ આવેલું છે. ભારે વરસાદના લીધે સરસ્વતી નદીમાં ભારે પ્રવાહ જોવા મળી રહ્યું છે. સરસ્વતી નદીના ઉદગમ સ્થળ જોડે અને કોટેશ્વર ધામ મહાદેવના મંદિર જોડે સરસ્વતી નદીના ચાર કુંડ બનાવવામાં આવ્યા છે. તે પણ ભારે વરસાદના લીધે છલોછલ ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રાળુઓને કુંડોમાં નાહવા અને પ્રવેશવા માટે મનાઈ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.