![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/32-4.jpg)
બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ બાદ તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો
ગુજરાત રાજ્ય પર છવાયેલી કેટલીક વરસાદી સિસ્ટમો આગળ વધતા વરસાદનું જોર ઘટ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આજરોજ ત્રણ તાલુકાઓમાં સામાન્ય વરસાદ બાદ ઉઘાડ નીકળતા પ્રજાજનોમાં પણ હાશકારો અનુભવ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વિરામ લેશે જેથી કરી ઠેર-ઠેર ખેતરોમાં ભરાયેલું પાણી પણ ઓસરશે અને ખેડૂતોનુ વાવેતર કરેલ પાક ને ઓછું નુકસાન થશે છેલ્લા પાંચ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો જેને લઇ ઠેર-ઠેર પાણી ભરાતા મોટુ નુકસાન થવા પામ્યું હતું પરંતુ હવે વરસાદ વિરામ લેવાની શક્યતાઓની સાથે ખેડૂત વર્ગ સહિત આમ પ્રજાજનો ને પણ મોટી રાહત મળશે.