ધાનેરાના ધરણોધર બાદ સબાવડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ રાડ ઉઠી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા
ધાનેરા તાલુકા પંચાયતની કામગીરીથી ગરીબ પ્રજા ભારે નારાજ છે. તાલુકાના ધરણોધર ગામના ગરીબ પરિવારો આજે પણ સરકારની સુવિધાઓથી વંચિત છે. તો અમારા પ્રતિનિધિએ સબાવડી ગામની મુલાકાત લેતા આ ગામમાં પણ ગરીબ પરિવારો સરકારી આવાસની માગ કરી રહ્યા છે.

ગામડામાં રહેતા ગરીબ પરિવાર તો આજે પણ મજૂરી કરી પોતાનું જીવન જીવતા હોય છે. ગરીબ પ્રજા તેમજ પછાત સમાજના લોકો સરકારની સુવિધાઓથી વંચિત છે. ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસને લઈ રજુઆત થઈ રહી છે. આ ગામમાં આજ દિન સુધી કેટલાક પરિવારોને સરકારી આવાસ મળ્યા નથી. વર્ષ ૨૦૧૫નું પુર હોય કે ૨૦૧૭ના વર્ષનું પુર બન્ને વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ પરંતુ સાચા લોકો આજે પણ રાહ જોઈ બેઠા છે.

સબાવડી ગામમાં આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ આવા પરિવારોને આજે આવાસ મળ્યા નથી. ચોમાસા ઋતુ દરમિયાન પરિવારના સભ્યોને રાત પસાર કરવી મુશ્કેલ બની જાય છે. ખેતી માટે જમીન તો છે પણ પરિવારના સભ્યો વધારે હોવાથી જમીનની વહેંચણી કરવામાં આવે તો નજીવો ટુકડો જમીનનો ભાગે આવે છે જેથી ખેતરમાં અલગ અલગ છાપરા કરી પરિવાર જીવી રહ્યા છે.

ધાનેરા તાલુકા પંચાયતની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે તો આવું લાગી રહ્યું છે. ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પ્રધાનમંત્રી આવાસના ફરી સર્વે કરાવી સાચા ગરીબ પરિવારને છત આપે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.