ડીસામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમનને લઈ વહીવટી તંત્ર એલર્ટ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની આખોલ મોટી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીના પ્રોજેકટનું આજે ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે ત્યારે ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ,જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ ડીસા ડી.વાય.એસ.પી. કૌશલ ઓઝા સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં ચાલતા કામો અને કાયદો વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાં આવ્યું હતું. આખોલ મોટીના તાલુકા સદસ્ય ભરત ધૂંખે જણાવ્યું હતું કે નલ સે જલ યોજનામાં પાણી પ્રોજેકટનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. જેના થકી આજુબાજુના લોકોને પાણીની વિકટ સમસ્યા દૂર થશે.જે બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ડીસાના ખાતે વાડી રોડ ખાતે બનાવેલ અતિઆધુનિક મુક્તિધામની પણ મુકલાત લેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.